અલ્હાબાદ હાઈકોર્ટે માંગ્યો જવાબ: પાન-મસાલા ગુટકાના પ્રચાર માટે બોલીવુડ સુપરસ્ટારોને નોટિસ
- 11 Dec, 2023
શાહરૂખ ખાન, અક્ષયકુમાર અને અજય દેવગનને પાન મસાલાનું પ્રમોશન કરતી જાહેરાત કરવા બદલ કેન્દ્ર સરકારે નોટિસ પાઠવી છે. કેન્દ્ર સરકારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચની અવમાનના અરજી પરનાં જવાબમાં આ માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચને માહિતી આપી છે કે, પાન મસાલાની જાહેરાતનાં કેસમાં શાહરૂખ, અજય અને અક્ષયને નોટિસ પાઠવવામાં આવી છે.
આ કેસમાં કેન્દ્ર સરકારના વકીલનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ પણ આ કેસની સુનાવણી કરી રહી છે, તેથી આ અરજીને ફગાવી દેવી જોઈએ. આ મામલે આગામી સુનાવણીની તારીખ 9 મે, 2024નાં રોજ યોજાશે.
અરજી દાખલ કરનાર એડવોકેટ મોતીલાલ યાદવનું માનવું છે કે અભિનેતા શાહરૂખ, અક્ષય અને અજય દેવગનને પદ્મ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા છે, ત્યારે તેમનાં દ્વારા પાન મસાલાનો પ્રચાર કરવો બરાબર નથી. જાણીતા સ્ટાર્સ દ્વારા આવું કરવાથી લોકોમાં તેની નકારાત્મક અસર પડે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ